પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના ની સંપૂર્ણ માહિતી અહીં આપેલ છે. પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના ફોર્મ કેવી રીતે ભરવું, ફોર્મ ભર્યા પછી આગળની પ્રોસેસ શું છે, અને કેવી રીતે તેમને ટુલકીટ અને લોન મળશે તેની સંપૂર્ણ માહિતી અહીં આપેલ છે
પારંપરિક શિલ્પકારો અને કારીગરોની સહાયતા માટેની કેન્દ્રીય યોજના
પ્રધાન મંત્રી વિશ્વકર્મા યોજનાના મુખ્ય હેતુઓ
- 13000 કરોડ રૂપિયાના બજેટ ની જોગવાઈ
- 18 પારંપરિક વ્યવસાયો નો સામેલ
- શિલ્પકારો અને કારીગરોને પ્રમાણપત્ર અને આઇડી કાર્ડ દ્વારા માન્યતા મળશે
- પ્રથમ તબક્કામાં એક લાખ રૂપિયા સુધીની અને બીજા તબક્કામાં બે લાખ રૂપિયા સુધીની મદદ માત્ર 5% ના વ્યાજ દરે મળશે
- યોજના ના અંતર્ગત કૌશલ્ય વિકાસ શિક્ષણ ટુલકીટ લાભ ડિજિટલ અને માર્કેટિંગ સપોર્ટ મળી રહેશે
પ્રધાન મંત્રી વિશ્વકર્મા યોજનાના જરૂરી ડોક્યુમેન્ટ
- આધારકાર્ડ
- પાનકાર્ડ
- રેશનકાર્ડ
- બેંક ખાતાની વિગત
- પરિવારના તમામ સભ્યોના આધારકાર્ડ પરિવારમાંથી ફક્ત એક જ વ્યક્તિનું કાર્ડ બનશે
પ્રધાન મંત્રી વિશ્વકર્મા યોજનાના લાભાર્થી
- સુથારી કામ
- નાવ બનાવવાનું કામ કરનાર
- અસ્ત્ર બનાવનાર
- લુહાર
- તાળું બનાવનાર
- હથોડા અને ટુલ કીટ બનાવનાર
- સોનાર સોની
- કુંભાર
- મૂર્તિકાર પથ્થર કોતરની કાર
- મોચી કામ
- કડિયા કામ
- ટોપલી ચટાઈ સાવરણી બનાવ
- પારંપરિક ઢીંગલી અને રમકડા બનાવનાર
- વાડંદ
- માળાઓ બનાવનાર
- ધોબી
- દરજી
- માછલીની ઝાડ બનાવવાનું કામ કરનાર
યોજનાની વધુ માહિતી અને રજીસ્ટ્રેશન માટે નજીકના csc સેન્ટર સંપર્ક કરો
![](https://sarkariyojanagujarat.com/wp-content/uploads/2024/01/પ્રધાન-મંત્રી-વિશ્વકર્મા-યોજના.jpg)
પ્રધાનમંત્રી વિશ્વકર્મા નું ફોર્મ ભર્યા બાદ પોતાના ગામના સરપંચ ને જમા કરાવવું અથવા જમા ના કરાવવો તો પણ સરપંચ પાસે તમારા ફોર્મની તમામ માહિતી પહોંચી જશે એટલે કે પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજનાનું એપ્રુવલ ગામના સરપંચ પાસેથી અથવા તલાટી પાસેથી મળશે.
એપ્રુવલ થયા બાદ તમારી જે તે એજન્સી ટ્રેનીંગ રાખશે અને ટ્રેનિંગ રાખ્યા બાદ તમને ટુલકીટ લેવા માટે 15000 રૂપિયા મળશે. ટ્રેનિંગ દરમિયાન તમે જેટલા દિવસ ટ્રેનિંગ લો છો તેનું તમને મહેનતાણું આપવામાં આવશે.
![whatsapp group](https://www.ghoghamba.com/wp-content/uploads/2023/05/whatsapp-Group.jpg)
ત્યારબાદ તમે જે તે બેંકમાં લોન માટે અરજી કરી હશે તે બેંકમાં તમને લોન મળી જશે તેના માટે તમારે ટ્રેનિંગ લીધેલ સર્ટિફિકેટ બતાવવાનું રહેશે અને આ એક ગવર્મેન્ટ યોજના હોવાથી લોન મળવામાં તમને ખૂબ જ સરળતા રહેશે.
Winnowing Fan Sahay Yojana વિનોવિંગ ફેન સહાય યોજના:-30 હજાર રૂપિયા